૧ ભારતનો પ્રથમ ગવર્નર કોણ હતો?
- લોર્ડ કલાઇવ
૨. ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો કયા ગવર્નરે નાખ્યો?
- લોર્ડ કલાઇવ
૩. પ્લાસીનું યુદ્ધ કયા ગવર્નરની આગેવાની હેઠળ લડાયુ?
- લોર્ડ કલાઇવ
૪ બક્સરના યુદ્ધ સમયે બંગાળનો અંગ્રેજ ગવર્નર કોણ હતો?
- હિબવેલ
૫. દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે અમલમાં મૂકી? - લોર્ડ કલાઇવ
૬. લોર્ડ કલાઇવ પછી ભારતમાં ગવર્નર કોણ આવ્યો?
- વોરન હેસ્ટિંગ્સ
૭ .ભારતમાં બ્રિટિશ સત્તાને સુદૃઢ કોણે બનાવી?
- વોરન હેસ્ટિંગ્સ
૮. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી?
- વોરન હેસ્ટિંગ્સ
૯ વોરન હેસ્ટિંગ્સને કયા ધારા અનુસાર ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો?
- નિયામક ધારાથી
૧૦. કોના પ્રયત્નોથી મરાઠા સાથેના યુદ્ધનો અંત આવ્યો?
- વોરન હેસ્ટિંગ્સ
૧૧. દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે નાબૂદ કરી? - વોરન હેસ્ટિંગ્સ
૧૨ કોના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો?
- લોર્ડ કોર્નવોલિસ
૧૩. વોરન હેસ્ટિંગ્સ પછી ભારતમાં ગવર્નર કોણ આવ્યો?
- લોર્ડ કોર્નવોલિસ
૧૪. લોર્ડ કોર્નવોલિસે કેટલા સમય શાસન કર્યું?
- સાત વર્ષ
૧૫ ન્યાય અને પોલીસ ખાતામાં ધરખમ ફેરફાર કોણે કર્યા?
- લોર્ડ કોર્નવોલિસ
૧૬ લોર્ડ કોર્નવોલિસે કાયદાના સુધારા અને સમાનતા માટે કયુ પુસ્તક તૈયાર કરાવ્યું?
- કોર્નવોલિસ કોડ
૧૭. લોર્ડ કોર્નવોલિસ પછી ભારતના ગવર્નર તરીકે કોણ આવ્યું?
- સર જહોન શોર
૧૮. સર જહોન શોરે કઈ નીતિ અપનાવી હતી ?
- તટસ્થતાની નીતિ
૧૯. કોના સમયમાં કંપનીની પ્રતિષ્ઠા ઘટી હતી?
- સર જહોન શોર
૨૦ કંપનીનો વિસ્ત્ર વધારવા માટે કોની ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવી?
- વેલેસ્લીની
૨૧. વેલેસ્લીએ અંગ્રેજ સત્તાનો વ્યાપ કેટલો વધાર્યો?
- સાત ગણો
૨૨. મૈસૂરની તાકાતને કચડવાનું કામ કોણે કર્યું?
- વેલેસ્લીએ
૨૩. વેલેસ્લીએ કઈ નીતિ અમલમાં મૂકી?
- સહાયકારી નીતિ
૨૪. વેલેસ્લીની સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી?
- હૈદરાબાદના નિઝામે
૨૫. વેલેસ્લીએ સહાયકારી નીતિ દ્વારા કઈ નીતિ અપનાવી ?
- વિસ્તારવાદની
૨૬ વેલેસ્લી પછી ગવર્નર તરીકે કોણ આવ્યો?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૨૭ વેલેસ્લીનું વિસ્તારવાનું કામ કોણે આગળ ધપાવ્યું?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૨૮ નેપાળ - ગુરખા વિગ્રહ કયા ગવર્નરના સમયમાં થયો હતો?
- લોર્ડ હેસ્ટિંગ્સના
૨૯ નેપાળ સાથે અંગ્રેજોના સારા સંબંધો કયા ગવર્નરના કારણે થયા?
- લોર્ડ હેસ્ટિંગ્સના
૩૦ મધ્ય ભારતમાં પીંઢારાનો નાશ કયા ગવર્નરે કર્યો?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૩૧ ત્રીજો અંગ્રેજ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો હતો?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૩૨ કયા ગવર્નરે પેશ્વાનું રાજ્ય ખાલસા કરી ૮ લાખ રૂપિયાનું પેન્શન બંધી દીધું?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૩૩ ૧૮૩૬મા ભારતનો ગવર્નર કોણ બન્યો?
- ઓકલેન્ડ
૩૪ કયા ગવર્નરને અફઘાનિસ્તાન પર આક્રમણ કરવાની જરૂર જણાઈ ?
- ઓકલેન્ડને
૩૫ ઓકલેન્ડ પછી ભારતનો ગવર્નર કોણ નિયુક્ત થયો?
- એલનબરો
૩૬ કયા ગવર્નરે સિંધ પર વિજય મેળવ્યો? - એલનબરો
૩૭. કયા વિજય માટે અંગ્રેજોની ભારે ટીકા થઇ હતી?
- સિંધ વિજય માટે
૩૮. એલનબરો પછી ભારતનો ગવર્નર તરીકે કોણ આવ્યો?
- લોર્ડ ડેલહાઉસી
૩૯. લોર્ડ ડેલહાઉસી કઈ સાલમાં ભારતનો ગવર્નર જનરલ બન્યો?
- ઈ.સ. ૧૮૪૮
૪૦. કયો ગવર્નર ઉગ્ર સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતો હતો ?
- લોર્ડ ડેલહાઉસી
૪૧ ખાલસાનીતિનો પ્રણેતા કોણ હતો?
- લોર્ડ ડેલહાઉસી
૪૨. લોર્ડ ડેલહાઉસીએ કઈ નીતિ દ્વારા રાજ્યવિસ્તાર કર્યો?
- જીત, જપ્તી અને ખાલસા દ્વારા
૪૩. લોર્ડ ડેલહાઉસી કેવો ગવર્નર હતો?
- સામ્રાજ્યવાદી પરંતુ સુધારક
૪૪. ભારતમાં કપની સત્તાને બિનહરીફ બનાવવાનું કામ કયા ગવર્નરે કર્યું?
- લોર્ડ ડેલહાઉસી
૪૫. સમગ્ર પંજાબ કયા યુદ્ધથી ખાલસા કર્યું?
- બીજા શીખ વિગ્રહથી
૪૬. કયા ગવર્નરે દત્તકપુત્ર નામંજૂર કર્યો?
- લોર્ડ ડેલહાઉસી
૪૭ દત્તકપુત્ર નામંજૂર કરવાની જોગવાઈ ક્યારથી કરવામાં આવી હતી?
- ઈ.સ. ૧૮૩૪
૪૮. નામમાત્રની સત્તાનો અંત કયો ગવર્નર લાવ્યો?
- લોર્ડ ડેલહાઉસી
૪૯. અવધના રાજ્યને કયા બહાના હેઠળ ખાલસા કર્યું?
- ગેરવ્યવસ્થાના બહાના હેઠળ
૫૦. ભારતમાં પ્રથમ રેલવે લાઈન કોના સમયમાં નખાઈ?
- લોર્ડ ડેલહાઉસી
૫૧ ભારતમાં પ્રથમ રેલવે લાઈન કયા અને ક્યારે નખાઈ?
- મુંબઈ અને થાના વચ્ચે - ૧૮૫૩
૫૨ આધુનિક ટપાલ પદ્ધતિ કોના સમયમાં દાખલ થઇ?
- લોર્ડ ડેલહાઉસી
૫૩ બાળલગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃ વિવાહ ધારો કોણે પસાર કરાવ્યો?
- લોર્ડ ડેલહાઉસી
૫૪ કોની ભલામણથી ભારતમાં ત્રણ યુનિવર્સીટીની સ્થાપના થઇ?
- લોર્ડ ડેલહાઉસી
૫૫ લોર્ડ ડેલહાઉસીએ બર્માનેહરાવી કયો પ્રાંત પડાવી લીધો?
- રંગૂન
૫૬ આધુનિક ભારતનો પાયો નાખવાનો શ્રેય કયા ગવર્નરને જાય છે?
- લોર્ડ ડેલહાઉસી
૫૭ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર-વ્યવહાર કોના સમયમાં શરુ થયો?
- લોર્ડ ડેલહાઉસીના
૫૮ લોર્ડ ડેલહાઉસીએ નિઝામનો કયો સમૃદ્ધ પ્રાંત ખાલસા કર્યો?
- વરાડ
૫૯ ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નાખવાનું કામ કોણે કર્યું?
- લોર્ડ કલાઇવ
૬૦ ભારતમાં અંગ્રેજ સત્તાનું રક્ષણ કરવાનું કામ કોણે કર્યું?
- વોરન હેસ્ટિંગ્સ
૬૧ ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી કોણે બનાવી?
- લોર્ડ વેલેસ્લીએ
૬૨ ભારતમાં અંગ્રેજ સત્તાને બિનહરીફ અને સર્વોચ્ચ સ્થાને કોણે પહોચાડી?
- લોર્ડ ડેલહાઉસી
૬૩ અંગ્રેજોએ ભારતમાં કઈ નીતિ અપનાવી હતી?
- ભાગલા પાડો અને રાજ કરો
૬૪ ઇન્ડિયન સિવિલ સર્વિસનો સાચો સ્થાપક કોણ ગણાય છે?
- લોર્ડ કોર્નવોલિસ
૬૫ નિયામક ધારાની કહ્મીઓ કયા ધારા દ્વારા સુધારવામાં આવી?
- પીટના ધારાથી
૬૬ કોલકાતામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ઈ.સ. ૧૭૭૪
૬૭ કાયદાઓમાં એકસરખાપણું લાવવા માટે કયુ કાયદાનું પુઅસ્તક રચાયું?
- કોર્નવોલિસ કોડ
૬૮ વકીલો માટે કાયદાની પરીક્ષા કોણે દાખલ કરી?
- લોર્ડ કોર્નવોલિસે
૬૯ ભારતમાં આધુનિક ઢબનું ન્યાયતંત્ર કોણે સ્થાપ્યું?
-લોર્ડ કોર્નવોલિસે
૭૦ કયા કાયદા દ્વારા ગવર્નર અને તેની કાઉન્સિલને વહીવટની સંપૂર્ણ સત્તા આપવામાં આવી?
- ઈ.સ. ૧૮૩૩
૭૧ કયા વાઈસરોયના અન્યાયી કાયદાઓના કારણે હિંદનો શિક્ષિત વર્ગ સંગઠિત થયો?
- વાઈસરોય લિટન
૭૨ કયા વાઈસરોયના ઉદાર શાસને હિંદના રાષ્ટ્રવાદને પ્રેરકબળ આપ્યું?
- વાઈસરોય રિપન
૭૩ ઈ.સ. ૧૮૨૮માં ભારતના ગવર્નર તરીકે કોણ આવ્યું?
- વિલિયમ બેન્ટિક
૭૪ કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધારસ્તંભ ગણાય છે?
- પીટનો ધારો (૧૭૮૪)
૭૫ પીટનો ધારો કઈ સાલ સુધી અમલમાં રહ્યો?
- ૧૮૫૭ સુધી
૭૬ કયા ગવર્નરે દરેક જિલ્લામાં મહેસૂલ વસૂલ કરવા કો૦નિ નિમણુંક કરી?
- કલેકટર
૭૭ ચાર્ટર એકટ કયારે પસાર કરવામાં આવ્યો?
- ૧૮૩૩
૭૮ ભારતમાં ન્યાયતંત્ર શરુ કરવાનું માન કોણે જાય છે?
- વોરન હેસ્ટિંગ્સ
૭૯ ભારતમાં આધુનિક ન્યાયવ્યવસ્થાના જન્મદાતા કોણે માનવામાં આવે છે?
- લોર્ડ કોર્નવોલિસને
૮૦ ભારતમાં યુરોપિયન ઢબની ન્યાયવ્યવસ્થા દાખલ કોણે કરી?
- લોર્ડ કોર્નવોલિસે
૮૧ કયા એક્ટ પ્રમાણે કાયદો બનાવવાનો અધિકાર ગવર્નર જનરલને આપવામાં આવ્યો?
- ચાર્ટર એક્ટ - ૧૮૩૩
૮૨ પ્રથમ કાયદા પંચની રચના કોણે કરી?
- લોર્ડ મેકોલે
૮૩ રૈયતવારી પદ્ધતિ કયા ગવર્નરે અમલમાં મૂકી હતી?
- મનરોએ
૮૪ લોર્ડ કોર્નવોલિસે કઈ પદ્ધતિ અપનાવી હતી?
- કાયમી જમાબંધી
૮૫ જોડાણનીતિ કયા ગવર્નરે અપનાવી હતી?
- વિલિયમ બેન્ટિક
૮૬ સતીપ્રથા નાબૂદ કરતો કાયદો કયા ગવર્નરે દાખલ કર્યો?
- વિલિયમ બેન્ટિક (૧૮૨૯)
૮૭ કોના સમયમાં ભારતીય સૈનિકોને લડવા વિદેશ મોકલવામાં આવતા?
- વાઈસરોય કેનિંગ
૮૮ ભારતમાં કંપની શાસનનો અંત ક્યારે આવ્યો?
- ૧૮૫૮માં
૮૯ બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા?
- લોર્ડ કર્ઝને (૧૯૦૫)
૯૦ મુસ્લિમ લીગની સ્થાપના કયા વાઈસરોયના સમયમાં થઇ?
- વાઈસરોય લોર્ડ મિન્ટો
૯૧ જલિયાવાલા બાગનો હત્યાકાંડ કોણે કર્યો હતો?
- જનરલ ડાયરે
૯૨ હિંદ છોડો આંદોલન વખતે ભારતમાં વાઈસરોય કોણ હતા?
- વાઈસરોય લિનલીથગો
૯૩ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના વાઈસરોય કોણ હતા?
- વેવેલ
૯૪ વેવેલ દ્વારા રજૂ કરાયેલ યોજના કયા નામે ઓળખાય છે?
- વેવેલ યોજના
૯૫ કયા વાઈસરોયના સમયમાં નૌકા સૈનિકોનો બળવો થયો?
- વેવેલ
૯૬ વેવેલના સ્થાને વાઇસરોય તરીકે કોની નિમણુંક કરવામાં આવી?
- લોર્ડ માઉન્ટબેટન
૯૭ લોર્ડ માઉન્ટબેટન યોજના કયા નામે ઓળખાય છે?
- ભારતીય સ્વાતંત્ર્ય ધારો, ૧૯૪૭
૯૮ ભારતના છેલ્લા વાઈસરોય કોણ હતા?
- લોર્ડ માઉન્ટબેટન
૯૯ અખંડ ભારતના ભાગલા માટેની અંતિમ યોજના કયા નામે ઓળખાય છે?
- લોર્ડ માઉન્ટબેટન યોજના
૧૦૦ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
- સી રાજગોપાલાચારી