Monday, September 30, 2019

વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતી નવરાત્રી

૧. ચૈત્રી (વસંત) નવરાત્રી: 
શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: 
ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ - અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.

૩. શરદ (આસો) નવરાત્રી: 
આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ - અજવાળીયું) થાય છે માટે.

૪. પુષ્ય (પોષ) નવરાત્રી: 
પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ - અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.

૪(વૈકલ્પિક). માઘ નવરાત્રી: 
માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ - અજવાળીયું) દરમ્યાન કરાય છે.

52 શક્તિપીઠ

દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા સપ્તશતી અને તંત્ર ચૂડામણીમાં શક્તિપીઠોની સંખ્યા 52 દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે 51 શક્તિપીઠને માનવામાં આવે છે. કહેવાય છે કે આ શક્તિપીઠોના દર્શન માત્રથી ભક્તની મનની ઈચ્છા પૂરી થઈ જાય છે. તો ચાલો આજે જાણો કયા કયા છે આ 52 શક્તિપીઠ.

હિંગળાજ

કરાંચીથી 125 કિમી દૂર છે આ મંદિર. અહીં માતાનું માથું પડ્યું હતું. અહીં શક્તિ કોટરીઅને તે ભૈરવને ભીમ લોચન કહે છે. 

શર્કરરે

પાકિસ્તાનના કરાંચી પાસે આવેલું છે આ શક્તિપીઠ. અહીં માતાની આંખ પડી હતી. તેમને મહિષાસુરમર્દિની તેમજ ભૈરવને ક્રોધિશ કહે છે. 

સુગંધા

બાંગ્લાદેશના શિકારપુર પાસે સોંધ નદી કીનારે આવેલું છે આ સ્થાન. માતાની નાસિકા અહીં પડી હતી. અહીં શક્તિને સુનંદા અને ભૈરવને ત્ર્યંબક કહે છે. 

મહામાયા

ભારતના કાશ્મીમાં પહેલગાવ નજીક માતાનું કંઠ પડ્યું હતું. અહીં શક્તિને મહામાયા અને ભૈરવને ત્રિસંધ્યેશ્વર કહે છે. 

જ્વાલા જી

હિમાચલ પ્રદેશના કાંગડામાં માતાની જીભ પડી હતી. તેમને જ્વાલા સ્થાન પણ કહેવામાં આવે છે. અહીં શક્તિને સિદ્ધિદા અને ભૈરવને ઉન્મત્ત કહે છે. 

ત્રિપુરમાલિની

પંજાબના જાલંધરમાં દેવી તાલાબ, જ્યાં માતાનું ડાબુ સ્તન પડ્યુ હતું. અહીં શક્તિને ત્રિપુરમાલિની અને ભૈરવને ભીષણ કહે છે. 

વૈદ્યનાથ

ઝારખંડના દેવઘરમાં આવેલું છે વૈદ્યનાથધામ. અહીં માતાનું હૃદય પડ્યું હતું. અહીં દેવી શક્તિને દુર્ગા અને ભૈરવને વૈદ્યનાથ કહે છે. 

મહામાયા

નેપાળમાં ગુજરેશ્વરી મંદિર આવેલું છે. અહીં માતાના બંને ઘુટણ પડ્યા હતા. અહીં દેવી શક્તિને મહાશિરા અને ભૈરવને કપાલી કહેવાય છે. 

દાક્ષાયણી

તિબેટમાં કૈલાશ માનસરોવરના માનસા પાસે પાષાણ શિલા પર માતાનો ડાબો હાથ પડ્યો હતો. અહીં શક્તિને દાક્ષાયણી અને ભૈરવને અમર કહે છે. 

વિરજા

ઓરિસ્સાના વિરાજમાં આ શક્તિપીઠ આવેલું છે. અહીં માતાની નાભિ પડી હતી. અહીં શક્તિને વિમલા અને ભૈરવને જગન્નાથ કહે છે. 

ગંડકી

નેપાળમાં મુક્તિ નાથ મંદિર, અહીં માતાનું મસ્તક એટલે કે કનપટી પડી હતી. અહીં શક્તિને ગંડકી ચંડી અને ભૈરવને ચક્રપાણી કહેવાય છે. 

બહુલા

પશ્ચિમ બંગાળની અજેય નદી કીનારે આવેલા બાહુલ સ્થાન પર માતાનો જમણો હાથ પડ્યો હતો. અહીં શક્તિ દેવીને બાહુલા અને ભૈરવને ભીરુક પણ કહે છે. 

ઉજ્જયિની

પશ્ચિમ બંગાળની ઉજ્જયિની નામના સ્થાન પર માતાનું જમણું કાંડુ પડ્યું હતું. અહીં શક્તિને મંગળ ચંદ્રિકા અને ભૈરવને કપિલાંબર કહેવાય છે.

ત્રિપુર સુંદરી 

ત્રિપુરાના રાધાકિશોરપુર ગામમાં બાઢી પર્વતના શિખર પર માતાનો જમણો પગ પડ્યો હતો. અહીં શક્તિને ત્રિપુર સુંદરી અને ભૈરવને ત્રિપુરેશ કહેવાય છે. 

ભવાની

બાંગ્લાદેશ ચંદ્રનાથ પર્વત પર છત્રાલમાં માતાની જમણી ભુજા પડી હતી. અહી શક્તિને ભવાની અને ભૈરવને ચંદ્રશેખર કહે છે. 

ભ્રામરી

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના ત્રિસ્ત્રોત સ્થાન પર માતાનો ડાબો પગ પડ્યો હતો. અહીં શક્તિને ભ્રામરી અને ભૈરવને અંબર અને ભૈરશ્વેર કહે છે. 

કામાખ્યા

આસામના કામગિરિમાં નીલાંચલ પર્વત પર કામાખ્યા સ્થાન પર માતાનો યોનિનો ભાગ પડ્યો હતો. અહીં કામાખ્યા શક્તિ અને ભૈરવને ઉમાનંદ કહે છે. 

પ્રયાગ

ઉત્તર પ્રદેશના ઈલાહાબાદના સંગમ તટ પર માતાના હાથની આંગળી પડી હતી. અહીં શક્તિ લલિતા અને ભૈરવને ભવ કહેવાય છે. 

જયંતી

બાંગ્લાદેશના ખાસી પર્વત પર જયંતી મંદિર આવેલું છે જ્યાં માતાની જાંઘ પડી હતી. અહીં શક્તિ જયંતી છે અને ભૈરવ ક્રમદીશ્વર છે. 

યુગાદ્યા

પશ્ચિમ બંગાળના યુગાદ્યા સ્થાન પર માતાના પગનો અંગૂઠો પડ્યો હતો. અહીં શક્તિ ભૂતધાત્રી અને ભૈરવ ક્ષીર ખંડક છે. 

કાલીપીઠ

કલકત્તાના કાલીઘાટમાં માતાના ડાબા પગનો અંગૂઠો પડ્યો હતો. અહીં શક્તિ કાલિકા અને ભૈરવ નકુશીલ છે. 

કિરીટ

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના કિટીરકોટ ગ્રામ પાસે માતાનું મુકુટ પડ્યું હતું. અહીં શક્તિને વિમલા અને ભૈરવને સંવ્ત્ર્ત કહે છે. 

વિશાલાક્ષી

યૂપીના કાશીમાં મણિકાર્ણિકા ઘાર પર માતાના કાન પડ્યા હતા. અહીં શક્તિ વિશાલાક્ષી મણિકર્ણી તેમજ ભૈરવને કાલ ભૈરવ કહે છે. 

કન્યાશ્રમ

કન્યાશ્રમમાં માતાનો પુષ્ઠનો ભાગ પડ્યો હતો. અહીં શક્તિને સર્વાણી અને ભૈરવને નિમિષ કહે છે. 

સાવિત્રી

હરિયાણાના કુરુક્ષેત્રમાં માતાની એડી પડી હતી. અહીં શક્તિને સાવિત્રી અને ભૈરવને સ્થાણુ કહે છે. 

ગાયત્રી

અજમેર નજીક પુષ્કરમાં ગાયત્રી પર્વત પર બે મણિબંધ પડ્યા હતા. અહીં શક્તિને ગાયત્રી અને ભૈરવને સર્વાનંદ કહે છે. 

શ્રીશૈલ

બાંગ્લાદેશના શૈલ નામના સ્થાન પર માતાનું ગળુ પડ્યું હતું. અહીં શક્તિ મહાલક્ષ્મી અને ભૈરવ શમ્બરાનંદ છે. 

દેવગર્ભા

પશ્ચિમ બંગાળના કોપઈ નદીના કીનારે કાંચી નામના સ્થાન પર માતાની અસ્થિ પડી હતી. અહીં શક્તિ દેવગર્ભા અને ભૈરવને રુરુ કહે છે. 

કાલમાધવ

મધ્યપ્રદેશના સોન નદી કીનારે માતાનું ડાબું

ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું

●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : મણિલાલ દ્વિવેદી

●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : નવલરામ પંડ્યા

●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત'  છંદ ઉપજાવનાર : નરસિંહરાવ દિવેટિયા

●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : નિબંધ

●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : વ્યાખ્યાન

●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : આનંદશંકર ધ્રુવ

●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : કવિ 'કાન્ત'

●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : ઈન્દુકુમાર

●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : બ.ક.ઠાકોર

●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : પૃથ્વી

●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : વસંતોત્સવ

●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : કલાસખી અને શાસ્ત્રસખી

●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : બ.ક.ઠાકોર

●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : અરદેશર ખબરદાર

●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : પ્રણય

●'જીવન નિષ્ઠાના કવિ'  તરીકે જાણીતા બનનાર : દેશળજી પરમાર

●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : હરજી લવજી દામાણી

●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : નારાયણ હેમચંદ્ર

●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : રણજિતરામ વાવાભાઈ મહેતા

●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : ડાહ્યાભાઈ ધોળશાજી

●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : રાજાધ્યક્ષ

●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : સુરેશ જોશી

●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : મુંબઈ

●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : પંડિત સુખલાલજી

●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : દલસુખભાઈ માલવણિયા

●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : સ્વામી આનંદ

●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : મારી કમલા

●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : બેખુદાઈ ખિદમતગાર

●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : ચંદ્રવદન ચીમનલાલ મહેતા

●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : ચંદ્રવદન મહેતા

●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : એકાંશ દે

●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા  : પાદરના તીરથ

●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : જંયતિ દલાલ

●અસાઈત ઠાકરના વંશજો -  ક્યાતરગાળા નામે ઓળખાય છે.

●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - ફાગુ

●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - પ્રેમાનંદનું

●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - ભાલણ

●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - કનૈયાલાલ મુનશી

●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - નવલરામ પંડ્યા

●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - શામળ

●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- પ્રેમાનંદ માટે

●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - દયારામ

●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- નવલરામ પંડ્યા

●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - અખો

●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - અખો

●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - ઉમાશંકર જોશી

●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - રતન સોનારણ સાથે

●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - કનૈયાલાલ મુનશી

●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - વીશી

●રત્નો ખરેખર સાચું રત્ન હતો - ન્હાનાલાલ

●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - દલપતરામ*

●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - લાલજી

●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - પ્રેમશૌર્ય

●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - વિશ્વનાથ ભટ્ટ

●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - નવલરામથી

●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - કવિ ખબરદાર

● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - નરસિંહરાવ દિવેટિયા

●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - આનંદશંકર ધ્રુવને

●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - વેણીના ફૂલ

●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - ગોવર્ધનરામ ત્રિપાઠી

●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - નરસિંહરાવ દિવેટિયા

●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - વિજયસેન સૂરિ

●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - અબ્દુર રહેમાન

●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - ભીમ

●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - સુરદાસ

●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - રતનેશ્વર

●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - સુંદર મેવાડો

●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - નર્મદ

●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - નિષ્કુલાનંદ

●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - દયારામ

●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - 1833

●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - નંદશંકર મહેતા

●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - નવલગ્રંથાવલિ

●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક  - દુર્ગારામ મહેતાજી

●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - અંબાલાલ સાકરલાલ દેસાઈ

●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - હરગોવિંદદાસ કાંટાવાળા

●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ

●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - કવિ છોટમ

●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - વિજયાદશમી

●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - સ્નેહમુદ્રા

મહાસાગરો વિશે આટલું જાણો

પૃથ્વીની સપાટી પર ૭૧ ટકા વિસ્તારમાં સમુદ્રોનું ખારું પાણી છવાયેલું છે. પૃથ્વી પર પાંચ મહાસાગર છે. એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ નજીકના ખંડ પ્રમાણે તેને નામ અપાયા છે.

પૃથ્વી પરનો સૌથી મોટો પેસેફિક મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રોકે છે.

પેસેફિક એટલે પ્રશાંત મહાસાગર. તેનું નામ સાગરખેડુ મેગેલને પાડેલું.

'માર પેસિફિકો' એટલે સ્પેનિશ ભાષામાં 'શાંત સમુદ્ર'.

પેસિફિક સમુદ્રમાં મેરિયાના ટ્રેન્સ સૌથી ઊંડી છે તેની ઊંડાઈ ૩૫૭૯૭ ફૂટ છે.

બીજા નંબરનો સૌથી મોટો મહાસાગર એટલાન્ટિક છે. યુરોપ અને આફ્રિકાને અમેરિકાથી જુદા પાડતા આ સાગરમાં ગરમ પાણીના પ્રવાહો છે.

હિંદ મહાસાગર કદમાં ત્રીજા નંબરનો છે. તે ગરમ પાણીના પ્રવાહો ધરાવે છે.

હિંદ મહાસાગરમાં માડાગાસ્કર અને શ્રીલંકા જેવા મોટા ટાપુ દેશો આવેલા છે.

આર્કટિક મહાસાગર એટલે ઉત્તર ધ્રુવની આસપાસનો બરફનો દરિયો. સૌથી છીછરો અને નાનો આ મહાસાગર બરફનો જ બનેલો છે.

સધર્ન કે દક્ષિણ મહાસાગર દક્ષિણ ધ્રુવ પર આવેલો બરફનો દરિયો છે.

મહાસાગરોની સરેરાશ ઊંડાઈ ૧૨૨૦૦ ફૂટ છે. પૃથ્વી પરનું ૯૭ ટકા પાણી મહાસાગરોમાં સચવાય છે. પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી વ્હેલ સમુદ્રમાં રહે છે.

જનરલ સવાલ

★મહાન દાર્શનિક પ્લેટોનો જન્મ અને નિધન ક્યાં થયા હતા❓
✔21 મે, 429 BC-એથેન્સ-ગ્રીસમાં નિધન

★તાજેતરમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે કેટલામી વખત એશિયા કપ જીત્યો❓
✔7મી વખત

★તાજેતરમાં સાઉદીની કઈ ઓઇલ રિફાઇનરી ઉપર યમનના લાડાકુઓએ ડ્રોન હુમલો કર્યો❓
✔અરામકોની અબકીક રિફાઇનરી

★પૃથ્વી પરનું સૌથી ગરમ શહેર કયું ગણાય છે❓
✔પાકિસ્તાનનું જેકોબાબાદ

★"આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે." આ વિધાન કોનું છે❓
✔કનૈયાલાલ મુનશી

★રાજકોટના રામકૃષ્ણ મિશનની સ્થાપના કયા વર્ષમાં અને કોની સખાવતથી થયેલી❓
✔ઇ.સ.1927માં મોરબીના મહારાજા લખધીરજીની

★કોણે કહેલું કે આપની સભ્યતાનો નાશ થશે કે તે અસફળ રહેશે તો તેનું મુખ્ય કારણ આપના વહીવટની અસફળતા કહેવાશે❓
✔ડાનેહામ

★ભારતના સંવિધાનનું અર્પણ ક્યારે કરાયું❓
✔26 નવેમ્બર, 1950

★વિધવા વિવાહની તરફેણ કરવા બદલ કોણે ઘર છોડવું પડ્યું હતું❓
✔કરશનદાસ મૂળજી

★સૌપ્રથમ વિશ્વકપ હોકી 1971માં આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું❓
✔સ્પેન

★નોનસ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ હોય છે❓
✔ટેફલોન

★'ફ્લિટ રીવ્યુ' શબ્દ કોની સાથે સંકળાયેલો છે❓
✔નૌકાદળની કવાયત

★ઇ.સ. 1572 થી 1752માં ભારતમાં કઈ મુસ્લિમ સલ્ટનતનું શાસન હતું❓
✔મુઘલ

જનરલ સવાલો

🔰1. મહાત્મા ગાંધી દ્વારા આમાંથી કયો પ્રથમ પ્રારંભ થયો હતો?
(એ) અસહકાર
(બી) નાગરિક આજ્ઞાપાલન
(સી) ભારત છોડો ચળવળ
(ડી) ચંપારણ
🔥જવાબ: (ડી)

🔰2. મહાત્મા ગાંધીએ પ્રથમ વાર ભૂખ હડતાળ માટે શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો-
(એ) ખેડા સત્યગ્રહ
(બી) અમદાવાદ સ્ટ્રાઈક
(સી) બારડોલી સત્યગ્રાહ
(ડી) ચંપારણ સત્યગ્રહ
🔥જવાબ: (બી)
 
🔰3. દાંડી માર્ચ સાથે સંકળાયેલ છે-
(એ) બંગાળનો ભાગ
(બી) ખિલાફત ચળવળ
(સી) અસહકાર ચળવળ
(ડી) નાગરિક આજ્ઞાભંગ ચળવળ
🔥જવાબ: (ડી)

🔰4. નીચેનામાંથી કયા નેતાએ 'ખિલાફત ચળવળ' ને ટેકો આપ્યો ન હતો?
(એ) સ્વામી શ્રદ્ધાંદ
(બી) મદન મોહન માલવીયા
(સી) મોહમ્મદ અલી જીન્નાહ
(ડી) જવાહર લાલ નેહરુ
🔥જવાબ: (સી)

🔰5. અલી ભાઈઓ નીચેનામાંથી કઈ સાથે સંબંધિત છે?
(એ) ખિલાફત મુવમેન્ટ
(બી) ભારત છોડો મુક્તિ
(સી) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
(ડી) ફાશીવાદ
🔥જવાબ: (એ)

6. ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ હતા-
(એ) સૈયદ અહમદ ખાન અને અઘા ખાન
(બી) મોહમ્મદ અલી અને શૌકત અલી
(સી) મુહમ્મદ ઇકબાલ અને સલીમુલ્લાહ ખાન
(ડી) મુહમ્મદ અલી જીન્નાહ અને સિકંદર હયાત ખાન
🔥જવાબ: (બી)

🔰7. 1919 માં યોજાયેલી ઓલ ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સ ક્યાં છે?
(એ) લખનઊ
(બી) દિલ્હી
(સી) અલીગઢ
(ડી) પોરબંદર
🔥જવાબ: (બી)

🔰8. સત્યાગ્રહ સભા કોણ યોજાય છે જેના સભ્યો રોવલ્ટ અધિનિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી છે?
(એ) સૈફુદ્દીન કિચલેવ
(બી) મોતીલાલ નેહરુ
(સી) મૌલાના શૌકત અલી
(ડી) મહાત્મા ગાંધી
🔥જવાબ: (ડી)
 
🔰9. બ્રિટીશ સરકારે ગાંધીજીને ધરપકડ કરવાની અને બિનસાંપ્રદાયિક ચળવળના સસ્પેન્શન પછી તેમને દોષિત ઠેરવવા શું કહ્યું?
(એ) તે અન્ય રાષ્ટ્રવાદીઓના હૃદયમાં ત્રાસવાદ ઊભો કરવા માંગે છે
(બી) તે ખાતરી કરવા માંગે છે કે આંદોલનની પુનર્જીવન ન થાય
(સી) આંદોલનને સ્થગિત કરવા બદલ ગાંધીને જાહેર અપમાનમાંથી બચાવવા માગે છે
(ડી) બિનસાંપ્રદાયિક ચળવળના સસ્પેન્શનને લીધે રાષ્ટ્રવાદી દળો વચ્ચે વિભાજનનો લાભ થયો.
🔥જવાબ: (ડી)

 🔰10. બિન-સહકાર માટેનું ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું-
(એ) કોંગ્રેસ દ્વારા 1920 માં કલકત્તામાં યોજાયેલા વિશેષ સત્રમાં
(બી) ખિલાફત સમિતિ દ્વારા
(સી) જલિયાનવાલા બાગ ટ્રેજેડી પછી તરત જ ગાંધી દ્વારા
(ડી) એક સાથે કોંગ્રેસ અને ખિલાફત સમિતિ દ્વારા
🔥જવાબ: (એ)

🔰અરસપરસ ચળવળ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર-
(એ) લોકો માટે સંમત ન હતી
(બી) 1921-22 માં વિદેશી કાપડની આયાતના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો
(સી) અર્થતંત્ર પર થોડી અસર હતી
(ડી) સરકારે ભારતીય માલની નિકાસ પર નિયંત્રણોને આરામ આપ્યો
🔥જવાબ: (બી)

 🔰12. અસહકાર ચળવળએ કૉંગ્રેસને કેવી રીતે અસર કરી?
(એ) કાર્યકારી સમિતિ અને બંધારણ સાથે તે શરીર જેવા વધુ વ્યવસાય બન્યો
(બી) એકવાર ફરીથી નિયંત્રણ મધ્યસ્થીથી ઉગ્રવાદીઓ તરફ સ્થળાંતર થયું
(સી) બંધારણીય આંદોલનથી તે તેના પદ્ધતિને નિષ્ક્રિય પ્રતિકારમાં બદલ્યો
(ડી) બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રવાદી સંઘર્ષમાં તે જનતાના નેતા બન્યા
🔥જવાબ: (ડી)
 
🔰13. ગાંધીજીના માર્ચ સાથે સંકળાયેલ દાંડી કયા જિલ્લામાં સ્થિત છે?
(એ) મહેસાણા
(બી) ભુજ
(સી) નવસારી
(ડી) દ્વારકા
🔥જવાબ: (સી)
 
🔰14. મહાત્મા ગાંધીની દાંડી માર્ચ વિશે નીચે આપેલામાંથી કોણ સાચું નથી?
(એ) તે એક રાહદારી માર્ચ હતો
(બી) તે 8 સત્યાગ્રહથી શરૂ થયું જેમાં હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ શામેલ છે
(સી) તેનો હેતુ મીઠું કાયદો ભંગ કરવાનો છે
(ડી) સમુદ્ર કિનારે પહોંચતા મહાત્મા ગાંધીએ મીઠું બનાવ્યું નહીં
🔥જવાબ: (ડી)

🔰15. ગાંધીવાદી ચળવળોનો સાચો કાળક્રમ શું છે?
1. રોલ્લેટ અધિનિયમ ચળવળ 
2. ખેરા ચળવળ
3. ચંપારણ મુવમેન્ટમેન
🔥321√√

🔰16. નાગરિક આજ્ઞાભંગ ચળવળ કઈ ઘટનાથી શરૂ થઈ?
(એ) દારૂનો પ્રતિબંધ
(બી) મીઠું કાયદો તોડવો
(સી) ઉચ્ચ જમીન મહેસૂલનો વિરોધ
(ડી) વિદેશી કપડાં boycotting
🔥જવાબ: (બી)

🔰17. કયા પ્રસંગે 'નાગપુર ચલો' નામનો સૂત્ર ઉઠાવવામાં આવ્યો હતો?
(એ) દાંડી માર્ચ
(બી) અસહકાર ચળવળ
(સી) ભારત છોડો મુવમેન્ટ
(ડી) ઝાંડા સત્યાગ્રહ
🔥જવાબ: (ડી)
 
🔰18. કસ્તુરબા ગાંધી જેલમાં ક્યારે મૃત્યુ પામ્યા હતા?
(એ) 1905
(બી) 1919
(સી) 1934
(ડી) 1944
🔥જવાબ: (ડી)
 
🔰19. ગાંધી-ઇરવીન સંધિની ટીકા કરવાનો મુખ્ય કારણ-
(એ) કોમ્યુનિકલ મતદાર
(બી) શાંતિપૂર્ણ પ્રક્રિયાઓ પર પ્રતિબંધ
(સી) સ્વાતંત્ર્ય લડવૈયાઓની અટકાયત બચાવવા માટેની જોગવાઈને અવગણના કરી
(ડી) રાજકીય કેદીઓ માટે એમ્નેસ્ટી
🔥જવાબ (સી)

🔰20. સોલ્ટ સત્યાગ્રહ અને દાંડી માર્ચ સરકારની તાત્કાલિક પ્રતિક્રિયા શું હતી?
(એ) સરકાર દમનકારી પગલાંઓનો ઉપયોગ કરે છે
(બી) આ દુર્ઘટનાને ફેલાતા અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા
(સી) તે ગંભીરતાથી લેતા નથી
(ડી) કોંગ્રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો
🔥જવાબ: (સી)

Monday, September 23, 2019

જનરલ સવાલ

1.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
જવાબ: રાજા રામમોહનરાય

2.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
જવાબ: સંવાદકૌમુદી

3.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
જવાબ: લોર્ડ વિલિયમ બૅન્ટિંકે

4.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
જવાબ: મિરાત-ઉલ-અખબાર

5.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
જવાબ: સ્વામી વિરજાનંદ

6.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
જવાબ: સત્યાર્થ પ્રકાશ

7.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
જવાબ: દયાનંદ સરસ્વતી

8.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
જવાબ: સ્વામી શ્રદ્ધાનંદે

9.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ

10.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
જવાબ: નરેદ્રનાથ

11.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
જવાબ: સ્વામી રામકૃષ્ણ પરમહંસ

12.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
જવાબ: શિકાગો

13.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
જવાબ: સ્વામી વિવેકાનંદ

14.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
જવાબ: વહાબી

15.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
જવાબ: સર સૈયદ અહમદખાને

16.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
જવાબ: ખાલસા કૉલેજ

17.કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
જવાબ: બહેરામજી મલબારીના

18.ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
જવાબ: જ્યોતિબા ફૂલેએ

19.સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
જવાબ: જ્યોતિબા ફૂલે

20.'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: ઠક્કર બાપાએ

21.'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
જવાબ: ઠક્કર બાપાએ

22.સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
જવાબ: રાજા રામમોહનરાય

23.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: ઈ.સ. 1772માં

24.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં

25.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
જવાબ: ભાભીની સતી થવાની

26.રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
જવાબ: હિંદુ કૉલેજની

27.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
જવાબ: ઈ.સ. 1829માં

28.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
જવાબ: દિલ્લીના બાદશાહના

29.કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
જવાબ: ઈ.સ. 1833માં

30.રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
જવાબ: બ્રિસ્ટોલ મુકામે

31.દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં

32.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
જવાબ: 15

33.આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
જવાબ: શુદ્ધિ ચળવળ

34.સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
જવાબ: વેદો તરફ પાછા વળો

35.રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં

36.સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
જવાબ: ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

37.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
જવાબ: વડોદરા

38.સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
જવાબ: તહઝિબ-ઉલ-અખલાક

39.ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ભાવનગર

40.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
જવાબ: રહનુમા-ઈ-મઝદયરબન

41.ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?
જવાબ: શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ

42.નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
જવાબ: કૉલેરા

43.વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

44.વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?
જવાબ: CFC

45.વૃક્ષો ઓછાં થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

46.નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?
જવાબ: નાઇટ્રસ ઑક્સાઇડ

47.વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?
જવાબ: CNG

48.આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
જવાબ: દમ

49.માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?
જવાબ: પાણીનું

50.ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?
જવાબ: કમળો

51.આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?
જવાબ: પ્લાસ્ટિક

52.'જળ, જમીન અને જંગલ એ સામૂદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને 'વેપારની વસ્તુ' બનાવવી નૈતિક ગુનો છે.' એવું કોણે કહ્યું હતું ?
જવાબ: ગાંધીજીએ

53.ગટરનાં પાણીથી કયું પ્રદૂષણ થાય છે ?
જવાબ: પાણીનું પ્રદૂષણ

54.રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ: જમીનનું પ્રદૂષણ

55.80 ડેસિમલનો અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
જવાબ: ધ્વનિનું પ્રદૂષણ

56.દવાખાનાં, હૉસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દરદીની સારવારમાં વપરાયેલી સાધનસામગ્રીનો કચરો શું કહેવાય ?
જવાબ: મેડિકલ વેસ્ટ

57.આપણું જીવન ટકાવી રાખવા માટે કયું તત્ત્વ મહત્વનું નથી ?
જવાબ: જસત

58.શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?
જવાબ: ઉદ્યોગો

59.શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ છે ?
જવાબ: કુદરતી સ્ત્રોતોના

60.પાણીનું પ્રદૂષણ થવાનું કારણ કયું નથી ?
જવાબ: શહેરોનું ચોખ્ખુ પાણી જળાશયમાં ઠાલવતા

61.જળપ્રદૂષણની અસર શું થાય છે ?
જવાબ: ગંદા પાણીથી શાકભાજી પ્રદૂષકોથી ભરેલા પાકે

62.જળપ્રદૂષણથી બચવાનો ઉપાય કયો છે ?
જવાબ: ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરી જળાશયમાં ઠાલવવું

63.હવાનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: ઔધોગિક એકમ નો ધુમાડો, વાહન નો ધુમાડો ફટાકડા નો ધુમાડો વગેરે

64.હવાના પ્રદૂષણની અસર શું થાય છે ?
જવાબ: ગુંગળાઈને પ્રાણીઓનું મૃત્યુ થાય

65.હવાનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
જવાબ: પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવું

66.જમીનનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: ઉધોગો નો કચરો

67.જમીન પ્રદૂષણથી શું અસર થાય છે ?
જવાબ: સ્વાસ્થય પર અસર

68.નીચેનામાંથી જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે ?
જવાબ: ક્ષય

69.જમીન પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
જવાબ: ઉધોગ નો કચરો દુર ફેંકવો, જમીન ને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું

70.ધ્વનિનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
જવાબ: કારખાનામાં ચાલતા યંત્રોથી

71.ધ્વનિ પ્રદૂષણથી થતી અસર કઈ છે ?
જવાબ: બહેરાશ આવે

72.ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કયો ઉપાય કરવો જોઈએ ?
જવાબ: ઓછો અવાજ, ઉધોગ શહેર થી દુર રાખવા અને કારખાનામાં ચાલતા યંત્રોને ઓછા અવાજ કરે તેને સર્વિસ કરવા.

73.વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?
જવાબ: યુરોપમાં

74.અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?
જવાબ: આર્થિક નીતિ

75.અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?
જવાબ: લોકશાહીની

76.કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી‌ ?
જવાબ: ફ્રાન્સની

77.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
જવાબ: વ્યોમેશચન્દ્ર બેનરજી

78.'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂકી ?
જવાબ: લૉર્ડ કર્ઝને

79.બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?
જવાબ: 'વંદે માતરમ્'

80.'વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
જવાબ: આનંદમઠ

81.બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?
જવાબ: 'શોકદિન'

82.કોણ મવાળવાદી નેતા ન હતા ?
જવાબ: લોકમાન્ય ટિળક

83.જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા ?
જવાબ: લોકમાન્ય ટિળક

84.'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?
જવાબ: લોકમાન્ય ટિળકે

85.'શેર-એ-પંજાબ' તરીકે કોણ જાણીતા બન્યા હતા ?
જવાબ: લાલા લજપતરાય

86.સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું ?
જવાબ: લાલા લજપતરાય

87.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: કટકમાં

88.સુભાષચંદ્ર બોઝે ક્યો પક્ષ સ્થાપ્યો ?
જવાબ: ફોરવર્ડ બ્લૉક

89.'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી ?
જવાબ: કૅપ્ટન મોહનસિંગે

90.'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
જવાબ: નેતાજી

91.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?
જવાબ: 'ચલો દિલ્લી'

92.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?
જવાબ: જાપાન

93.કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા ?
જવાબ: કનિંગહામે

94.કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?
જવાબ: એ. ઓ. હ્યુમના

95.હિંદી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હતી ?
જવાબ: અદાલતોમાં હિંદી ન્યાયાધીશો નીમવા.

96.વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા ?
જવાબ: ઈ.સ. 1905માં

97.ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કરી ?
જવાબ: રવીન્દ્રનાથા ટાગોરે

98.જહાલવાદ એટલે શું ?
જવાબ: ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.

99.નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા ?
જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલે

100.મવાળવાદ એટલે શું ?
જવાબ: નરમ કાર્યશૈલીમાં માનનારા.