Monday, September 30, 2019

ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું

●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : મણિલાલ દ્વિવેદી

●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : નવલરામ પંડ્યા

●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત'  છંદ ઉપજાવનાર : નરસિંહરાવ દિવેટિયા

●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : નિબંધ

●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : વ્યાખ્યાન

●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : આનંદશંકર ધ્રુવ

●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : કવિ 'કાન્ત'

●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : ઈન્દુકુમાર

●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : બ.ક.ઠાકોર

●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : પૃથ્વી

●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : વસંતોત્સવ

●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : કલાસખી અને શાસ્ત્રસખી

●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : બ.ક.ઠાકોર

●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : અરદેશર ખબરદાર

●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : પ્રણય

●'જીવન નિષ્ઠાના કવિ'  તરીકે જાણીતા બનનાર : દેશળજી પરમાર

●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : હરજી લવજી દામાણી

●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : નારાયણ હેમચંદ્ર

●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : રણજિતરામ વાવાભાઈ મહેતા

●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : ડાહ્યાભાઈ ધોળશાજી

●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : રાજાધ્યક્ષ

●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : સુરેશ જોશી

●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : મુંબઈ

●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : પંડિત સુખલાલજી

●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : દલસુખભાઈ માલવણિયા

●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : સ્વામી આનંદ

●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : મારી કમલા

●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : બેખુદાઈ ખિદમતગાર

●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : ચંદ્રવદન ચીમનલાલ મહેતા

●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : ચંદ્રવદન મહેતા

●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : એકાંશ દે

●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા  : પાદરના તીરથ

●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : જંયતિ દલાલ

●અસાઈત ઠાકરના વંશજો -  ક્યાતરગાળા નામે ઓળખાય છે.

●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - ફાગુ

●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - પ્રેમાનંદનું

●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - ભાલણ

●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - કનૈયાલાલ મુનશી

●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - નવલરામ પંડ્યા

●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - શામળ

●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- પ્રેમાનંદ માટે

●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - દયારામ

●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- નવલરામ પંડ્યા

●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - અખો

●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - અખો

●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - ઉમાશંકર જોશી

●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - રતન સોનારણ સાથે

●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - કનૈયાલાલ મુનશી

●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - વીશી

●રત્નો ખરેખર સાચું રત્ન હતો - ન્હાનાલાલ

●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - દલપતરામ*

●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - લાલજી

●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - પ્રેમશૌર્ય

●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - વિશ્વનાથ ભટ્ટ

●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - નવલરામથી

●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - કવિ ખબરદાર

● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - નરસિંહરાવ દિવેટિયા

●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - આનંદશંકર ધ્રુવને

●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - વેણીના ફૂલ

●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - ગોવર્ધનરામ ત્રિપાઠી

●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - નરસિંહરાવ દિવેટિયા

●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - વિજયસેન સૂરિ

●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - અબ્દુર રહેમાન

●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - ભીમ

●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - સુરદાસ

●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - રતનેશ્વર

●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - સુંદર મેવાડો

●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - નર્મદ

●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - નિષ્કુલાનંદ

●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - દયારામ

●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - 1833

●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - નંદશંકર મહેતા

●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - નવલગ્રંથાવલિ

●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક  - દુર્ગારામ મહેતાજી

●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - અંબાલાલ સાકરલાલ દેસાઈ

●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - હરગોવિંદદાસ કાંટાવાળા

●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ

●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - કવિ છોટમ

●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - વિજયાદશમી

●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - સ્નેહમુદ્રા