●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : મણિલાલ દ્વિવેદી
●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : નવલરામ પંડ્યા
●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત' છંદ ઉપજાવનાર : નરસિંહરાવ દિવેટિયા
●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : નિબંધ
●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : વ્યાખ્યાન
●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : આનંદશંકર ધ્રુવ
●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : કવિ 'કાન્ત'
●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : ઈન્દુકુમાર
●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : બ.ક.ઠાકોર
●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : પૃથ્વી
●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : વસંતોત્સવ
●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : કલાસખી અને શાસ્ત્રસખી
●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : બ.ક.ઠાકોર
●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : અરદેશર ખબરદાર
●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : પ્રણય
●'જીવન નિષ્ઠાના કવિ' તરીકે જાણીતા બનનાર : દેશળજી પરમાર
●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : હરજી લવજી દામાણી
●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : નારાયણ હેમચંદ્ર
●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : રણજિતરામ વાવાભાઈ મહેતા
●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : ડાહ્યાભાઈ ધોળશાજી
●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : રાજાધ્યક્ષ
●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : સુરેશ જોશી
●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : મુંબઈ
●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : પંડિત સુખલાલજી
●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : દલસુખભાઈ માલવણિયા
●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : સ્વામી આનંદ
●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : મારી કમલા
●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : બેખુદાઈ ખિદમતગાર
●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : ચંદ્રવદન ચીમનલાલ મહેતા
●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : ચંદ્રવદન મહેતા
●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : એકાંશ દે
●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા : પાદરના તીરથ
●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : જંયતિ દલાલ
●અસાઈત ઠાકરના વંશજો - ક્યાતરગાળા નામે ઓળખાય છે.
●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - ફાગુ
●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - પ્રેમાનંદનું
●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - ભાલણ
●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - કનૈયાલાલ મુનશી
●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - નવલરામ પંડ્યા
●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - શામળ
●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- પ્રેમાનંદ માટે
●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - દયારામ
●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- નવલરામ પંડ્યા
●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - અખો
●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - અખો
●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - ઉમાશંકર જોશી
●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - રતન સોનારણ સાથે
●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - કનૈયાલાલ મુનશી
●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - વીશી
●રત્નો ખરેખર સાચું રત્ન હતો - ન્હાનાલાલ
●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - દલપતરામ*
●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - લાલજી
●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - પ્રેમશૌર્ય
●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - વિશ્વનાથ ભટ્ટ
●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - નવલરામથી
●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - કવિ ખબરદાર
● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - નરસિંહરાવ દિવેટિયા
●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - આનંદશંકર ધ્રુવને
●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - વેણીના ફૂલ
●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - ગોવર્ધનરામ ત્રિપાઠી
●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - નરસિંહરાવ દિવેટિયા
●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - વિજયસેન સૂરિ
●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - અબ્દુર રહેમાન
●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - ભીમ
●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - સુરદાસ
●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - રતનેશ્વર
●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - સુંદર મેવાડો
●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - નર્મદ
●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - નિષ્કુલાનંદ
●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - દયારામ
●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - 1833
●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - નંદશંકર મહેતા
●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - નવલગ્રંથાવલિ
●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક - દુર્ગારામ મહેતાજી
●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - અંબાલાલ સાકરલાલ દેસાઈ
●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - હરગોવિંદદાસ કાંટાવાળા
●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - કવિ છોટમ
●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - વિજયાદશમી
●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - સ્નેહમુદ્રા