Thursday, January 10, 2019

ભારતનું બંધારણ

👉🏿 બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.

👉🏿 ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.

👉🏿 બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)

👉🏿 મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)

👉🏿 બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.

👉🏿 બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)

👉🏿 બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.

👉🏿 બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.

👉🏿 બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.

👉🏿 બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)

👉🏿 બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. (જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)

👉🏿 ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.
1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર
3. ટી.ટી. કૃષ્ણમાચારી
4. કનૈયાલાલ મુનશી
5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા
6. ટી. માધવરાય

👆🏿 આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.

👉🏿 બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)

👉🏿 બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.

👉🏿 બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.

👉🏿 ભારતીય બંધારણનો સ્વીકાર 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)

👉🏿 ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા 24,જાન્યુઆરી,1950.

👉🏿 ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)

👉🏿 ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.

♦ *ભારતના બંધારણની વિશેષતાઓ*

👉🏿 ભારતનું બંધારણ લેખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.

👉🏿 ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.

👉🏿 બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.

👉🏿 પરિવર્તનશીલ બંધારણ છે.

👉🏿 સંઘાત્મક શાસન પ્રણાલિ છે.

👉🏿 બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.

👉🏿 પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.

👉🏿 સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.

👉🏿 ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.

👉🏿 દ્વિગૃહી ધારાસભા છે.

👉🏿 એકજ નાગરિકતાની જોગવાઇ છે.

👉🏿 સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.

👉🏿 ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.

👉🏿 બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.

♦ *ભારતના બંધારણનું આમુખ*

👉🏿 બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

👉🏿 આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.

👉🏿આમુખ ઇ.સ 1973 થી બંધારણનો ભાગ બન્યું.

👉🏿 આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.

👉🏿 આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.

👉🏿 ઇ.સ 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.

👉🏿 ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.

♦ *ભારતના બંધારણ  ના મહત્વની કલમો*

👉🏿 *ભાગ-1*
*(સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર)*
  
➖અનુચ્છેદ-01
ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.

➖અનુચ્છેદ-02
નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.

➖અનુચ્છેદ-03
નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.

👉🏿 *ભાગ-2*
*(નાગરિકતા)*
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.

➖અનુચ્છેદ-05
સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.

➖અનુચ્છેદ-06
ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.

➖અનુચ્છેદ-07
પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.

👉🏿 *ભાગ-3*
*(મૂળભૂત હક્કો/અધિકારો)*
અનુચ્છેદ-12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અંગે ના છે.

➖અનુચ્છેદ-14 થી18
(1) સમાનતાનો હક

➖અનુચ્છેદ-19 થી 22
(2) સ્વતંત્રતાનો હક

➖અનુચ્છેદ-23 થી