આજે આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ દિવસ છે.
➖(જન્મ)➖
🔶 અમદાવાદ માં જન્મે લા આનંદશંકરે એમ.એ,એલ.એલ.બી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
🔶 1893 માં અમદાવાદની ગુજરાત કોલેજથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે શૈક્ષણિક કરીકિર્દી શરૂ કરનાર પ્રોફે. ધ્રુવ 1936માં બનારસ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ પદે પણ રહ્યા હતા.
🔶 ગુજરાતના વિદ્યાજગતમાં તેઓ સુદર્શન અને વસંત જેવા સાહિત્યિક સામાયિકોના તંત્રી તરીકે જાણીતા છે તો આપણો ધર્મ, હિંદુ ધર્મની બાળપોથી, હિંદુ (વેદ) ધર્મ, સાહિત્ય વિચાર, કાવ્યતત્વ વિચાર , દિગ્દર્શન, વિચાર માધુરી જેવા અનેક ચિંતન ગ્રંથો તેમણે લખ્યા છે.
🔶 ભારતીય તત્વજ્ઞાન પરિષદ અને ગુજરાત સાહિત્ય પરિષદ જેવી અનેક પરિષદો અને સંસ્થાઓના તેઓ પ્રમુખ પણ રહ્યા હતા.
🔶 ગુજરાતી પ્રજાએ એક સ્વતંત્ર યુનિવર્સિટી સ્થાપવાનું કામ જાતે ઉપાડી લેવું જોઈએ તેવા આહવાન સાથે ગુજરાત યુનિ.ની સ્થાપનાનું બીડું પણ તેમણે ઉપાડ્યું હતું. તેઓ ગુજરાત યુનિ.ના સ્વપ્નદ્રષ્ટાઓ પૈકીના એક હતા.
🔶 સ્ત્રી શિક્ષણ વિષે પણ આચાર્ય ધ્રુવના ખાસ વિચારો હતા તેઓ કહેતા કે આપણે ત્યાં સ્ત્રી કેળવણીનો પ્રશ્ન આજે એક રાષ્ટ્રીય પ્રશ્ન તરીકે વિચારવાનો છે. તેમના શૈક્ષણિક વિચારો આજે પણ જૂના નથી લાગતા.
➖(મૃત્યુ)➖
વિદ્યાજગતના આ વિદ્યાપુરુષ અને જાહેર જીવનના અગ્રણીનું 1942 માં અવસાન થયું હતું.