Saturday, February 23, 2019

કસ્તુરબા અથવા કસ્તુર મોહનદાસ ગાંધી

🌸જન્મ 👉 (૧૧ એપ્રિલ૧૮૬૯ –૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪),

👉🏿જેમને પ્રેમથી બધા "બા" કહેતા, તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા. તેમના લગ્ન ૧૩ વર્ષની ઉંમરે થયા હતા. લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શીખવ્યું.

*🌸મૃત્યુ🌸* 👉22 February 1944 
*આગાખાન પેલેસ* 

કસ્તુરબા ગાંધીજીની સાથેસાથેજ રાજકીય ચળવળોમાં જોડાયેલા રહ્યા. તેઓ ૧૮૯૭માં ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયા. ૧૯૦૪થી ૧૯૧૪ દરમિયાન તેઓએ ડર્બન નજીક "ફોનિક્સ આશ્રમ"ની પ્રવૃતિઓમાં સહયોગ આપ્યો. ૧૯૧૩માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની દારૂણ કામકાજી સ્થિતી વિરૂધ્ધ ચાલેલા આંદોલન દરમ્યાન તેઓની ધરપકડ થઈ અને ત્રણ માસની સખત કેદની સજા થઈ. પછીથી, ભારત આવ્યા પછી ઘણી વખત, જ્યારે ગાંધીજીને કેદ કરવામાં આવતા ત્યારે તેમણે તેમનાં સ્થાને નેતૃત્વ કર્યુ. ૧૯૧૫માં જ્યારે ગાંધીજી "ગળીના મજુરો" (ગળી ઉત્પાદન સાથે જોડાયેલા કામદારો, ખેડુતો)ના ટેકામાં આંદોલન કરવા ભારત આવ્યા ત્યારે કસ્તુરબા પણ તેમના સહભાગી બન્યા. તેઓ કામદારોનાં બાળકો અને સ્ત્રીઓને સ્વચ્છતા, શિસ્ત અને વાંચન-લેખન શિખવતા.

🌸કસ્તુરબા બ્રોંકાઈટિસ (chronic bronchitis)નાં દર્દથી પિડાતા હતા. ભારત છોડો આંદોલનની ધરપકડો અને આશ્રમની કઠોરતા જેવી તણાવભરી જીંદગીથી તેઓ બિમારીમાં પટકાયા. જેલવાસ દરમ્યાનજ અતિ નબળાઇ અને ગંભીર હૃદય રોગના હુમલાથી તેમનું ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ અવસાન થયું.