Monday, February 25, 2019

મારી હકીકત

💠પુસ્તકનું નામ :-મારી હકીકત (૧૮૬૬)
💠લેખકનુંનામ :-  કવિ નર્મદ
💠સાહિત્ય પ્રકાર :- આત્મકથા
💠 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા-

✍✍‘ મારી હકીકત ‘
કવિ નર્મદની આત્મકથા ‘

*🎯👁‍🗨👉 મારી હકીકત ‘ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે. નર્મદે આ આત્મકથા ઈ.સ. ૧૮૬૬માં લખી હતી. નર્મદે ૧૮૩૩ થી ૧૮૬૬ સુધીનું પોતાના ૩૩ વર્ષના જીવનની કથા વ્યથા કહેતી જીવની લખી નાખી હતી. આત્મકથા શબ્દ પહેલા પ્રચલિત ન હતો માટે એ ગ્રંથને 🔖‘ સ્વજીવન’ પ્રકારનો ગ્રંથ  ગણવામાં આવતો હતો. પરતું નર્મદ  પોતાની આ કૃતિને આત્મકથા  કરતાં 📋‘ ખરડો’📒 કહેવાનું પસંદ કરે છે. 🗞📇🗞‘મારી હકીકત’ મૂળ તો બે કોલમમાં વહેચાયેલ છે. આત્મકથામાં દસ વિરામ  એટલે કે દસ પ્રકરણો છે. વિરામ ૧માં લેખક પોતાના જન્મ, ગોત્ર અને જ્ઞાતિ વિશે લખ્યું છે.📋 તેમનો જન્મ સંવત ૧૮૮૯ના પહેલા ભાદરવા સુદ દસમને શનિવારે એટલે કે સને ૧૮૩૩ના ઓગસ્ટ મહિનાની ૨૪મી તારીખે સવારે સુરતમાં થયો હતો. ત્યારપછી તેમણે ગોત્ર અને જ્ઞાતિ વિશે વિસ્તૃત માહિતી આપી છે. 🗞બીજા વિરામમાં વડીલો અને માબાપ, ત્રીજા વિરામમાં તેમનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ, ચોથા વિરામમાં અંગ્રજી સ્કુલ અને કોલેજ, પાંચમા વિરામમાં રાંદેરમાં શિક્ષક, છટ્ઠા વિરામમાં કવિપદની તૈયારી, સાતમાં વિરામમાં કલમને ખોળે, આઠમાં વિરામમાં જ્દુનાથજી સાથે પ્રસંગ, નવમા વિરામમાં કીર્તિનો મધ્યાહ્ન અને દસમાં વિરામમાં સરસ્વતીમંદિરમાં ખુબ જ વિસ્તૃત અને રસપ્રદ માહિતી આપી છે. દસ વિરામ પછી ડાયરી, નર્મપત્રધારામાંથી, પોતાની કવિતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. 🗃🗳આત્મકથાને અંતે ધર્મ ધ્યાન વિષે આત્મકથનમાં ધર્મતંત્ર,ધ્યાન વિશે વાત કરી છે. વિરામ ૧માંપોતાના જન્મ વિશે લખ્યું છે કે પ્રસવવેળાએ મારી માને ઘણું દુ:ખ થયું હતું. હું જન્મ્યો ત્યારે મારું માથું ઘણું જ લાંબુ હતું. તેથી ચહેરો વિચિત્ર દેખાતો હતો. છ મહિનામાં હું ઘૂટણીયો તાણતો હતો. તો વિરામ ચારમાં પોતાના વાંચનરસ વિશે લખતા કહે છે કે કોલેજમાં દાખલ થયા પછી મરજી મુજબ લેસન કરવાનું  હોવાથી (🎯👉 કેમ કે કોલેજમાં  કંઈ રોજ લેસન આપવાં પડતાં નહિ. ફક્ત પ્રોફેસરો લેક્ચર આપતા તે સાંભળ્યા કરવાનું હતું ) હું મારો તે સમય અંગ્રેજી ચોપડીઓ વાંચવામાં ગાળતો હતો. છટ્ઠા વિરામમાં કવિતા કેવી રીતે લખવાની શરૂઆત કરી તેની છણાવટ કરી છે.
🔰💠🔰આત્મકથા પ્રગટ થયા પછી વિવાદ થશે અને સગાંવ્હાલાઓને નહિ ગમે એ નર્મદને ખબર હતી. માટે તેમણે પોતાના મૃત્યું પછી જ પ્રગટ થાય તેની તકેદારી રાખી હતી. શું લખવાનું છે અને લખ્યા પછી શું થશે એ અંગે નર્મદે બહુ સ્પષ્ટ હતા.માટે તેમણે લખ્યું છે, 🔰💠👉‘ આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહિ જ વિચારું તે તો હું નહિ જ લખું.પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂ સારું સારું હો કે નરસું હો લોકને પસંદ પડો કે ન પડો’. 💠👉‘ હું ભાંગ પીતો, પાક ખાતો અને બૈરાઓમાં મહાલતો’  લેખકની તટસ્થા અને નિર્ભીકતા આ શબ્દોમાં જોઈ શકાય. આત્મકથા શા માટે લખી છે  તેનો ખુલાશો નર્મદે પ્રથમ વિરામમાં જ કરી દીધો છે. અહી નર્મદના નિર્ભીક સત્ય કથનના દર્શન થાય છે. મારી હકીકત નર્મદની નિખાલસ  જીવનકથા છે. તો બીજી તરફ તેના સમયની પ્રજાનાં આચારવિચાર અને વ્યવહારને રજૂ કરતી પૂરેપૂરી દસ્તાવેજી કથા છે.

🎯બહુ જ નિખાલસતાથી અને હિમ્મતપૂર્વક સત્ય-કથન કહેનારી આ આત્મકથા છે. એમાં કવિ નર્મદના જીવનની અને એમના સમયની અનેક દસ્તાવેજી વિગતો હોવા છતાં, આ કથા આરંભથી અંત સુધી આપણને પકડી રાખે એવી રસપ્રદ પણ છે. ગુજરાતી ભાષાની એક ચિરંજીવ સાહિત્યકૃતિ તરીકે એની ગણના થાય છે.

🔰💠👉અહીં મૂળ આત્મકથા ઉપરાંત નર્મદે લખેલી ડાયરી અને પત્રો પણ છે; વળી, વિવિધ હસ્તાક્ષરો અને ફોટોગ્રાફ પણ સામેલ છે –એ બધું રસપૂર્વક આપણને એમના જમાનામાં લઈ જાય છે.

🔰💠ગુજરાતીની આ પહેલી આત્મકથા – લખાયેલી 1886માં.(ને ત્યારે થોડીક નકલો કવિએ છપાવેલી). પરંતુ, આ પુસ્તક પ્રકાશિત થયું નર્મદના જન્મ-શતાબ્દી વર્ષ 1933માં. દરમિયાન, 1926માં ગાંધીજીની આત્મકથા `સત્યના પ્રયોગો’ પ્રગટ થઈ ગયેલી.