👆🏿 *ચંદ્રકાંત કેશવલાલ બક્ષી* 👆🏿
➖આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતાં લેખક હતા
➖ચંદ્રકાંત બક્ષીનો જન્મ *પાલનપુર* ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો
➖તેમના ચાહકોમાં તેઓ *બક્ષી* અથવા *બક્ષીબાબુ* ના નામથી જાણીતા હતા
➖તેમણે ઐતહાસિક નવલકથાઓ *અતીતવન અને અયનવૃત* લખી છે
➖તેમની આત્મકથા *બક્ષીનામા* ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. આ આત્મકથાના કેટલાંક પ્રકરણો તેઓ તેમનાં દુશ્મનના મૃતદેહમાં પેશાબ કરતા હોવાની કલ્પના કારણે પ્રગટ નહોતી કરવામાં આવી.
➖૧૯૬૮માં *પેરિલિસિસ* નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમને અસ્વીકાર કર્યો હતો.
➖૧૯૮૪માં *મહાજાતિ ગુજરાતી* માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમને પાછું આપી દીધું હતું.
➖ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા *કુત્તી* પર અશ્લિલ લખાણ માટે કેસ કરેલો. તેમણે આ માટે સરકાર વિરુધ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધાં આરોપો પાછાં ખેંચી લીધેલા.
➖તેમની પ્રથમ વાર્તા *મકાનનાં ભૂત* કુમાર માસિક માં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી.