Tuesday, May 7, 2019

ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો

1.    ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર.    - અખો    
2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    - હરજી લવજી દામાણી   
3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  - કવિ કલાપી  
4.    યા હોમ કરીને પડો,ફતેહ છે આગે.  - કવિ નર્મદ    
5.    અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ  ફેરવીશું બાગમાં.....  - શેખાદમ આબુવાલા    
6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો
એને આવકારો  મીઠો આપજે રે......   - દુલા કાગ    
7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે    
8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    - સુન્દરમ્    
9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   - અરદેશર ખબરદાર    
10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું          પ્રભાત.   - કવિ નર્મદ    
11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી
મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.       - પ્રેમાંનદ
12.    ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત.      - કવિ અરદેશર ખબરદાર
13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    - ઉમાશંકર જોશી    
14.    ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   - ન્હાનાલાલ    
15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.  - કલાપી    
16.    જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !    - કવિ બોટાદકર    
17.    રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ..    - મીરાંબાઈ    
18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.              - કરસનદાસ માણેક
19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !             - ઝવેરચંદ મેધાણી
20.    રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.           -  કવિ કલાપી
21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  - દલપતરામ
22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.    - કવિ કલાપી
23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની.                         - બરકત વિરાણી
24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના? - અમૃત ધાયલ    
25.    ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ;
બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું .  - ઉમાશંકર જોશી
26.    સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં ! -કવિ ન્હાનાલાલ
27.    ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ
સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન
ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત- બચુભાઈ રાવત
28.    મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો !          - નરસિંહરાવ દિવેટિયા
29.    બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું.    -  ગની દહીંવાલા  
30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી. - ઉમાશંકર જોશી
31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી. - ન્હાનાલાલ
32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા
માટે સુંદર બનવું પડે. - કલાપી     
33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ...... - નરસિંહ મહેતા
34.    એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ....        - અખો
35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને .  - પ્રીતમ
36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,              - દયારામ    
37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે.... - ગંગાસતી    
38.    વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું, - દયારામ    
39.    અંધેરી નગરી ને ગંડુ રાજા.... - દલપતરામ    
40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે... - નરસિંહરાવ દિવેટિયા
41.    નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન.. - બ.ક.ઠાકર   
42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક
43.    માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે,      - પન્નાલાલ પટેલ
44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ
45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો
પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને
યાદ આવ્યા, - હરીન્દ્ર દવે
46.    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...  - રાવજી પટેલ
47.    ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ... - મણિલાલ દેસાઈ
48.    શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી.. - ચંદ્રકાન્ત શેઠ.