Saturday, May 4, 2019

પૃથ્વીરાજ ચૌહાણ

પૃથ્વીરાજ ચૌહાણ ૧૧૪૯-૧૧૯૨ સુધીના ચૌહાણ વંશના હિંદુ ક્ષત્રિય રાજા હતા. જે ઉત્તર ભારતમાં ૧૨મી સદીમાં નાની વયે તેના પર પોતાની બે રાજધાની દિલ્હી અને અજમેરની સાથે વિશાળ રાજ્યની જવાબદારી આવી હતી. પૃથ્વીરાજને ‘રાય પિથૌરા’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તે ચૌહાણ રાજવંશના પ્રસિદ્ધ રાજા હતા. પૃથ્વીરાજ નો જન્મ અજમેર રાજ્યના રાજા સોમેશ્વરમાં થયો હતો.

પૃથ્વીરાજના પિતાના અવસાન બાદ પ્રજાની દેખરેખની જવાબદારી પૃથ્વીરાજે ઉઠાવી હતી. પૃથ્વીરાજ પોતાના સાહસ અને પરાક્રમને કારણે લોકોમાં વિખ્યાત હતા. તે ચૌહાણ વંશના અંતિમ અને પ્રતાપી સમ્રાટ હતા. પૃથ્વીરાજે પોતાની રાજધાનીનું પુન:નિર્માણ કર્યું. તોમર નરેશ એક ગઢનું નિર્માણનો શુભારંભ કર્યું હતું જેને પૃથ્વીરાજે સૌથી પહેલે તેને વિશાળ સ્વરૂપ આપી પૂર્ણ કર્યું. તેના નામ પરથી પિથૌરાગઢ કહેવામાં આવે છે અને દિલ્લીના જુના કિલ્લાના નામથી ભાંગેલ-તૂટેલ હાલતમાં તેનું અસ્તિત્વ છે