Monday, August 5, 2019

કલમ 371

🌀દેશના 11 રાજ્યમાં એવી કલમ છે જે કેન્દ્ર સરકારને વિશેષ સત્તા આપે છે. આ કલમ 371 છે. આ કલમના માધ્યમથી કેન્દ્ર સરકાર એ રાજ્યોમાં વિકાસ, સુરક્ષા વગેરે અંગે કામ કરી શકે છે.🌀

🇮🇳🎯મહારાષ્ટ્ર/ગુજરાત- આર્ટિકલ 371

મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોના રાજ્યપાલને આર્ટિકલ-371 હેઠળ એ વિશેષ જવાબદારી છે કે, તે મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા તથા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. આ વિસ્તારમાં વિકાસ કાર્ય માટે એકસરખો ફંડ આપવામાં આવે છે. ટેક્નિકલ એજ્યુકેશન, વોકેશનલ ટ્રેનિંગ અને રોજગારી માટે રાજ્યપાલ વિશેષ વ્યવસ્થા કરી શકે છે.

🇮🇳🎯કર્ણાટક-આર્ટિકલ 371 જે, 98મું સંશોધન એક્ટ-2012

હૈદરાબાદ અને કર્ણાટક વિસ્તારમાં અલગ વિકાસ બોર્ડ બનાવવાની જોગવાઈ છે. આનો વાર્ષિક રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. જણાવવામાં આવેલા ક્ષેત્રના વિકાસ કાર્ય માટે અલગથી ફંડ મળે છે પરંતુ સરખા ભાગમાં. સરકારી નોકરીઓમાં આ ક્ષેત્રના લોકોને બરાબર ભાગીદારી મળે છે. આ હેઠળ રાજ્ય સરકારની શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીમાં હૈદરાબાદ અને કર્ણાટકમાં જન્મેલા લોકોને નિર્ધારિત અનામત પણ મળે છે.

🇮🇳🎯આંધ્ર પ્રદેશ અને તેલંગણા- 371ડી, 32મું સંશોધન એક્ટ-1973

આ રાજ્યોમાં રાષ્ટ્રપતિની પાસે એવો અધિકાર છે કે, તેઓ રાજ્ય સરકારને આદેશ આપી શકે છે કઈ નોકરીમાં કયા વર્ગના લોકોને નોકરી આપવી. એવી જ રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રાજ્યના લોકોને બરાબર ભાગીદારી કે અનામત મળે છે. રાષ્ટ્રપતિ નાગરીક સેવાઓ સાથે જોડાયેલા પદોની નિમણુક સંબંધિત કેસનું નિરાકરણ લાવવા માટે હાઈકોર્ટ પાસેથી અલગ ટ્રિબ્યુનલ બનાવી શકે છે.

🇮🇳🎯મણિપુર- 371સી-27મું સંશોધન એક્ટ-1971

રાષ્ટ્રપતિ ઈચ્છે તો રાજ્યના રાજ્યપાલને વિશેષ જવાબદારી આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની કમિટી બનાવી શકે છે. આ કમિટી રાજ્ય વિકાસ સંબંધી કાર્યોનું ધ્યાન રાખશે. રાજ્યપાલ આ અંગેનો વાર્ષિક રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે.

🇮🇳🎯મિઝોરમ- 371જી - 53મું સંશોધન એક્ટ-1986

જમીનના માલિકાના હક્કને લઈને મિઝો સમાજની પારંપરિક પ્રથાઓ, સત્તાવાર, નાગરીક અને ફોજદારી ન્યાય અંગેના નિયમો ભારત સરકારનું સાંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઇ શકે જ્યારે વિધાનસભા કોઈ ઠરાવ કે કાયદો લઇને ન આવે.

🇮🇳🎯નાગાલેન્ડ- 371એ -13મું સંશોધન એક્ટ- 1962

જમીનના માલિકાના હક્કને લઈને નાગા સમાજની પારંપરિક પ્રથાઓ, સત્તાવાર, નાગરીક અને ફોજદારી ન્યાય અંગેના નિયમો સાંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઇ શકે જ્યારે વિધાનસભા કોઈ ઠરાવ કે કાયદો લઇને ન આવે. આ કાયદો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે ભારત સરકાર અને નાગા સમાજના લોકો વચ્ચે 1960માં 16 મુદ્દાઓ પર કરાર થયો હતો.

🎯🇮🇳અરૂણાચલ પ્રદેશ - 371એચ -55મું સંશોધન એક્ટ - 1986

રાજ્યપાલને રાજ્યના કાયદા અને સુરક્ષાને લઇને વિશેષ અધિકાર મળે છે. તેઓ મંત્રીઓના કાઉન્સિલ સાથે ચર્ચા કરીને પોતાના નિર્ણય લાગુ કરાવી શકે છે પરંતુ આ સમયે મંત્રીઓના કાઉન્સિલ રાજ્યપાલના નિર્ણય પર સવાલ ઉભા ન કરી શકે. રાજ્યપાલનો નિર્ણય જ અંત્તિમ નિર્ણય રહેશે.

🎯🇮🇳આસામ - 371બી -22મું સંશોધન એક્ટ - 1969

રાષ્ટ્રપતિ રાજ્યના આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓની એક કમિટી બનાવી શકે છે. આ કમિટી રાજ્યના વિકાસ સંબંધી કાર્યો અંગે વિચાર-વિમર્શ કરીને રાષ્ટ્રપતિને રિપોર્ટ આપી શકે.

🎯🇮🇳સિક્કિમ - 371એફ - 36મું સંશોધન એક્ટ -1975

👉રાજ્યના વિધાનસભાના પ્રતિનિધિ મળીને એક એવો પ્રતિનિધિ પસંદ કરી શકે છે જે રાજ્યના વિવિધ વર્ગોના લોકોના અધિકારો અને હિતોનું ધ્યાન રાખે. સંસદ વિધાનસભામાં થોડી બેઠકો નક્કી કરી શકે છે, જેમાં વિવિધ વર્ગોના લોકોને પસંદગીના આધારે મોકલવામાં આવે છે. રાજ્યપાલ પાસે વિશેષ અધિકાર હોય છે જે અંતર્ગત તે સામાજીક અને આર્થિક વિકાસ માટે સરખી વ્યવસ્થા કરી શકે. સાથે જ રાજ્યના વિવિધ વર્ગોના વિકાસ માટે પ્રયત્નો કરશે. રાજ્યપાલના નિર્ણયને કોઈ પણ કોર્ટમાં પડકારી ન શકે.