Thursday, October 10, 2019

ગુજરાતની સંગીતકળા

શ્રીકૃષ્ણની વાંસળીનો વારસો ગુજરાતની કઈ કોમે આજે પણ જાળવી રાખ્યો છે
'ગોપ'

વલભીકાળ,ચાવડા વંશ,સોલંકી-વાઘેલા વંશ વગેરેના સમયમાં સંગીતને જુદી જુદી રીતે પ્રોત્સાહન મળતું રહ્યું.આ સમય દરમિયાન સંગીત માટે કયો ગ્રંથ રચાયો હતો
'સંગીત સુધારણા'

ગુજરાત સલ્તનત કાળમાં કયા બાદશાહનો સમયગાળો સંગીત માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો
બહાદુર શાહનો

બૈજુ બાવરા અને બક્ષુ જેવા મહાન સંગીતકારો કયા બાદશાહના દરબારમાં હતા
બહાદુર શાહ

બૈજુ બાવરા મૂળ ક્યાંનો હતો
ચાંપાનેર (ગુજરાત)

બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું
પંડિત વૈદ્યનાથ

બૈજુ બાવરા અને કોની વચ્ચે હરીફાઈ યોજાઈ હતી જેમાં બૈજુ બાવરા વિજયી થયા હતા
અકબરના સંગીતકાર તાનસેન

વડનગરની બે નાગર કન્યાઓ તાના અને રીરી સંગીતના કયા રાગમાં જાણીતી હતી
મલ્હાર

ઇ.સ.1916માં અખિલ ભારતીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
વડોદરા

સંગીત ક્ષેત્રે કચ્છને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં કોનો ફાળો મહત્વનો રહ્યો છે
ઉસ્તાદ લાલ ખાં

કચ્છના લોકગીતોના ગાયક તરીકે કોણ જાણીતા છે
સૈયદ કાસમશા અને નગારચી સુલેમાન જુમ્મા

'કચ્છીબાજ' તરીકે ઓળખાયેલી તબલાવાદનની શૈલીના તબલાવાદક કોણ છે
ઓસમાન ખાં

ઇ.સ.1921માં અમદાવાદમાં 'ગાંધર્વ વિદ્યાલય' અને 'રાષ્ટ્રીય સંગીત મંડળ'ની સ્થાપના કોણે કરી હતી
નારાયણરાવ ખરેએ

નંદન મહેતા તબલાવાદન

નંદન મહેતાના પત્ની મંજુલાબહેન સંગીત અને સિતારવાદન

દામોદરલાલ કાબરા સરોદવાદન

બ્રિજભૂષણ કાબરા ગિટારવાદક

હરિપ્રસાદ ચૌરસિયા બંસરીવાદક

શિવકુમાર સંતૂરવાદન

અલી અકબર ખાંના શિષ્ય વસંત રાયજી સરોદવાદક

પંડિત ઓમકારનાથજીનો જન્મ કયાં થયો હતો
ભરૂચમાં

ઓમકારનાથ કોની સાથેની સ્પર્ધામાં વિજયી થયા હતા
બાબાપ્રસાદ

ઓમકારનાથને કઈ ઉપાધિ આપવામાં આવી છે
'સંગીત મહામહોદય'

ભારતના પ્રતિનિધિ તરીકે ઈટાલીના ફ્લોરેન્સમાં આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં ઓમકારનાથજીએ ક્યારે ભાગ લીધો હતો
1933માં

1934માં ઓમકારનાથજીએ મુંબઈમાં કઈ સંસ્થા સ્થાપી હતી
સંગીત નિકેતન

ઈટાલીના સરમુખત્યાર ................ પણ ઓમકારનાથજીના સંગીતથી પ્રભાવિત થયા હતા
મુસોલિની

પંડિત ઓમકારનાથની ગાયકી કયા ઘરાનાની હતી
ગ્વાલિયર ઘરાના

1953માં બુડાપેસ્ટની 'વિશ્વશાંતિ પરિષદ' તથા 1954માં સ્ટોકહોમની 'અણુબોમ્બ' વિશેની પરિષદમાં કોણે ભાગ લીધો હતો
પંડિત ઓમકારનાથજી

ભારતની આઝાદી પછી ફૈયાઝ ખાં, અબ્દુલ કરીમ ખાં, ફૈઝ મહમ્મદ ખાં, લક્ષ્મીબાઈ જાદવ જેવા ગાયકોએ સંગીત સાધનાને આગળ ધપાવી છે.આ બધા ગાયકો ક્યાંના હતા
વડોદરા

રઝાહુસેન ખાં જલતરંગવાદક

ગુલામ રસુલ ખાં હાર્મોનિયમ

દેવીભક્ત તથા સંગીતજ્ઞ ઠાકોર જશવંતસિંહ ક્યાંના હતા
સાણંદ

'સંગીત ભાવ' ગ્રંથની રચના કોણે કરી હતી
ધરમપુરના મહારાજાએ

સપ્તકલા મંડળ ક્યાં આવેલું છે
ભાવનગર

'ગુજરાતનું સંગીત અને સંગીતકારો' પુસ્તક કોણે લખ્યું છે
હરકાંત શુક્લ

ગાંધીજીના ભત્રીજા પુરુષોત્તમ ગાંધીએ કયો ગ્રંથ લખ્યો છે
ગુજરાતમાં સંગીતનું પુનરૂત્થાન

હવેલી સંગીતનો પ્રારંભ કોણે કર્યો
પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્ય

મુંબઈમાં વલ્લભદાસજીએ કઈ વિદ્યાલયની સ્થાપના કરી હતી
વલ્લભ સંગીત આશ્રમ સંગીત વિદ્યાલય

પારસી સંગીતકાર ઝરીન દારૂવાલા હાર્મોનિયમ વાદક

કુ.આબાનબહેન પારડીવાળા તબલાંવાદક

સપ્તક નામના કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવે છે?
અમદાવાદ